વાવ આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલ ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરાઈ

આગામી ચુંટણી ને લઈને અરવિંદ કેજરીવાલ છેલ્લા છ મહિનામાં દર મહિને ગુજરાત આવ્યા છે. તેઓ જુલાઈ મહિનામાં ત્રણ વખત ગુજરાત આવ્યા હતા. હવે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેમના પ્રવાસો પણ વધી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ જેવા શહેરમાં તો તેઓ એક કરતાં વધુ વખત આવ્યા છે.ત્યારે આજ રોજ તા૧૬/૦૮ /૨૦૨૨ ના રોજ આમ આદમી પાર્ટી હાઇકમાન નેતા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી ગુજરાત ભર માં કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગ રૂપે વાવ આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે કે રાજપૂત ના અધ્યક્ષ સ્થાને જન્મદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે વાવ ના ખીમાણા વાસ ,ખીમાણાપાદર સહીત સમલી બેટ માં આવેલી ગૌશાળા માં ગૌ માતા ને ગોળ ખવડાવી ને ઉજવણી કરાઈ હતી આ પ્રસગે ભુરાજી આઝાદ ગુજરાત પ્રદેશ કિશાન મોરચા ના ઉપાધ્યક્ષ સહીત રામસિંહ રાઠોડ સહિત ના કાર્યકર્તા ઓ  હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *