વડગામ : વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નું મોટું નિવેદન,જીગ્નેશ મેવાણી માટે વાવ સીટ ની ઓફર કરી

બનાસકાંઠા વડગામ ખાતે આજે કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. સાથે સાથે મોટાભાગના ધારાસભ્ય પોતાની સીટ બચાવવા માટે અને ફરીથી ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાડતા હોય છે તેવામાં ગેનીબેન ઠાકોરે જો તેમનાથી કોઈ સારો ઉમેદવાર મળે તો તેઓ કોંગ્રેસ ને જીતાડવા માટે તેમની સીટ પર છોડવા માટે તૈયાર હોવાનું નિવેદન આપ્યું હતું.આ સિવાય વધુમાં તેમણે હતું કે અત્યારે ભાજપ સરમુખ તાનાશાહી ચલાવી રહ્યું છે ત્યારે આવનાર ચૂંટણીમાં કોંગ્રેસે ના કાર્યકરોએ બૂથ ઉપર કટાર લઈને ઉભું રહેવું પડે તો પણ તૈયાર રહેવુ પડશે તેવુ જાહેરમાં નિવેદન આપ્યું હતું. ચૂંટણી જીતવા માટે ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું પડે તો પણ કોંગ્રેસના કાર્યકરો તૈયાર રહેશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર હંમેશા કોઇને કોઇ વિવાદિત નિવેદન આપતા રહે છે ત્યારે આજે વડગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પણ તેઓએ ફરી એકવાર તેમના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *