લોકડાઉનથી બેરોજગાર સુરતનો એન્જિનિયર યુવક રસ્તા પર આલુપુરી વેચવા મજબૂર બન્યો

છેલ્લા કેટલાક મહિનાઓથી બેરોજગાર એન્જિનિયર યુવકે પરિવારનું ગુજરાન ચલાવવા આલુપુરીનો બિઝનેસ શરૂ કર્યો.

કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન દરમિયાન અનેક લોકોના ધંધા ભાંગી પડ્યા તો કેટલાકની નોકરી છીનવાઈ ગઈ. એવામાં સારી એવી ડિગ્રી ધરાવતા યુવાનો પણ નોકરી ગુમાવવા કે ન મળવા પર ડિપ્રેશન તથા માનસિક તણાવ અનુભવા લાગ્યા હતા. જોકે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર ન માને તેનું નામ સુરતી. સુરતમાં આવો જ એક સિવિલ એન્જિનિયર યુવાને નોકરી ન મળતા પરિવારનું પેટ ભરવા માટે રસ્તા પર   આલુપુરીવેચવાનું શરૂ કર્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના ઉધના વિસ્તારમાં રહેતો યુવક સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરી ચૂક્યો છે. શેખ સુફિયાન નામનો આ યુવાનને આશા હતી કે સિવિલ એન્જિનિયરનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેને સારી એવી નોકરી મળશે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી બેરોજગાર બેઠેલા યુવકે હવે રસ્તા પર આલુપુરી વેચવાનું શરૂ કર્યું છે. યુવક શારીરિક રીતે અસમર્થ હોવાથી સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં નોકરી મેળવવામાં તેને મુશ્કેલીઓ પડી રહી છે. લોકડાઉનમાં બેરોજગારીના કારણે ઘર ચલાવવું પણ મુશ્કેલ બનતા પરિવારના પાંચ સભ્યોનું પેટ ભરવા માટે યુવાન રસ્તા પર હવે આલુપુરી વેચી રહ્યો છે.

જાણકારી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મીરા નગર સોસાયટી પાસે ઝાંસીની રાણી ગાર્ડન બહાર આ એન્જિનિયર યુવક હાલમાં આલુપુરી વેચી રહ્યો છે. તે બેચલર શેખ સુફિયાન નામનો આ યુવક બેલચર ઓફ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો છે. ઘણા પ્રયાસો બાદ પણ નોકરી ન મળતા લોકડાઉનથી બેકાર બેઠેલા સુફિયાને આખરે કોઈ કામ નાનું નથી હોતું એમ માનીને આલુપુરીનો ધંધો શરૂ કર્યો. તેના પરિવારમાં માતા-પિતા, બહેન તથા પત્ની અને પોતે એમ મળીને કુલ પાંચ સભ્યો છે. જોકે તેને આશા છે કે તેને અન્ય કોઈ ફિલ્ડમાં સારી એવી નોકરી મળી શકશે.

સ્થાનિક રિપોર્ટ મુજબ, સુફિયાનનું કહેવું છે કે, હાલમાં જ્યાં સુધી અન્ય કોઈ માર્ગ નહીં દેખાય ત્યાં સુધી તે આલુપુરી વેચીને જ પરિવારનું ભરણપોષણ કરશે. હાલમાં તે દરરોજ 20થી 30 જેટલી આલુપુરીની પ્લેટ વેચે છે અને તેમાંથી થતી આવકથી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *