આજના યુગમાં અનેક સેવાભાવી લોકો પોતાની સેવા થકી વખણાતા હોય છે ખાસ કરીને ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટી સેવા માનવામાં આવે છે ત્યારે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સેવાભાવી લોકો છે કે જેઓ રોજે રોજ અસંખ્ય ભૂખ્યા અને તરસ્યા લોકોને ભોજન આપી પુણ્યનું કામ કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા દરજી આસારામ ભાઈ લાલજીભાઈ અને મનુભાઈ ચેલાભાઈ દ્વારા આસેડા ખાતે આવેલ પ્રાથમિક શાળા અને આંગણવાડી ના 1000થી પણ વધુ બાળકોને તિથિપૂજન આપવામાં આવ્યું હતું. આસેડા ગામમાં સૌપ્રથમવાર આસારામ ભાઈ અને મનુભાઈ દ્વારા એક સાથે એક હજારથી પણ વધુ બાળકોને તિથિ ભોજન આપવામાં આવતા ગ્રામજનો પણ તેમને સહકાર આપવા માટે જોડાયા હતા. આજે બાળકો એ તિથિ ભોજન મેળવતા ખુશી વ્યક્ત કરી હતી