તાલુકા મથક સુઇગામ નજીકથી પસાર થતી સુઇગામ ડિસ્ટ્રીકટ કેનાલમાં વધુ પાણી છોડી દેવાના કારણે હલકી ગુણવત્તાની કેનાલમાં ભંગાણ સર્જાયું હતું,કેનાલની ખરાબ કામગીરીને લીધે પ્રોટેક્શન વોલ નીચેથી કેનાલ તૂટી જતા ખરાબાની જમીનમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે,ખેડૂતો દ્વારા જવાબદાર તંત્રને કેનાલમાં ભંગાણ સર્જાતા કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટાડવા જણાવેલ હોવા છતાં હજુ સુધી પાણી ઓછું નહિ કરતાં હજારો લીટર પાણી અમસ્તું વેડફાઈ રહ્યું છે,નર્મદા નિગમની બેદરકારી ને લીધે વેડફાટા પાણીને લઈ ખેડુંતોમાં રોષ જોવા મળ્યો હતો,