ગુજરાતમાં જાટ સમાજની વસ્તી એકમાત્ર બનાસકાંઠાના ડીસામાં છે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા, રામપુર, શેરપુરા અને યાવરપુર ના ચાર ગામડાઓમાં મુખ્યત્વે જાટ સમાજની વસ્તી વસે છે આ સમાજને અનામતનો લાભ આપવા માટે હવે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મુહીમ ઉપાડી છે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડીયા એ જાટ સમાજ ને અનામતમાં સમાવવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ને રજૂઆત કરી છે અને આગામી ચૂંટણી ઢંઢેરામાં જાટ સમાજને અનામત આપવાના મુદાને સમાજને અનામત આપશે તે મુદ્દાને સમાવવા રજૂઆત કરી છે. આ અંગે પોપટજી દેલવાડીયા જણાવ્યું હતું કે દેશમાં અલગ અલગ રાજ્યમાં વસતા જાટ સમાજને અલગ અલગ રીતે અનામતનો લાભ આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ તેમને લાભ મળવો જોઈએ જે માટે તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આ મુદ્દાને ચુંટણી ના વચન મા સમાવવા રજુઆત કરી છે