- બુધવારે 83 હજાર 625 કેસ આવ્યા, 80 હજાર 419 દર્દીઓ સાજા થયા; 1136ના મૃત્યુ
- ઉત્તરપ્રદેશમાં ટેસ્ટિંગનો આંકડો 1 કરોડથી વધુ, 87 લાખ ટેસ્ટિંગ સાથે મહારાષ્ટ્ર બીજા નંબર પર
- બુધવારે દેશમાં કોરોનાના 86748 કેસ નોંધાયા છે. જો કે, આ રાહતની વાત તે છે કે 85274 દર્દીઓ સાજા થયા છે. 1179 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 7.50 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દરરોજ 10 થી 11 લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વચ્ચે આ આંકડો લગભગ 15 લાખ સુધી પહોંચ્યો હતો. આ છતાં આપણે હજી પણ આ મામલે અમેરિકા, રશિયા અને બ્રિટનથી ઘણા પાછળ છીએ.
- ભારતમાં જ્યાં દર 10 લાખની વસ્તીએ 53 હજાર 634 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે બ્રિટનમાં આટલી વસ્તી પર 3 લાખ 60 હજાર 527, અમેરીકામાં 3 લાખ 24 હજાર 403 અને રશિયામાં 3 લાખ 15 હજાર 176 લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ આંકડા covid19india.org અનુસાર છે.
કોરોના અપડેટ્સ
- સરકારે બુધવારે અનલોક -5 ની ગાઈડલાઇન જાહેર કરી હતી. તેના અનુસાર આંતરરાષ્ટ્રીય મુસાફરો હવે દિલ્હી એરપોર્ટ પર કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે.
- મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કહ્યું કે 50% બેઠકની ક્ષમતા સાથે હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને બારને 5 ઓકટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 લાખથી વધુ દર્દીઓ મળી આવ્યા છે.
- દિલ્હીના રાધા સ્વામી સત્સંગ બિયાસના સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 6427 દર્દીઓ દાખલ થયા છે. જેમાથી 5000 દર્દીઓમાંથી રજા આપવામાં આવી છે.