કંસારી ગામે ગ્રામજનો દ્વારા ચામુંડા માતાના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો

હિન્દુ ધર્મમાં ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે જેના કારણે હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રાખતા હોય છે ત્યારે દર વર્ષે હિન્દુ ધર્મના લોકો પોતાના ગામમાં લોકો સુખી રહી શકે તે માટે મંદિરની પ્રતિષ્ઠા ઉજવતા હોય છે જે અંતર્ગત ડીસા તાલુકામાં પણ ચાલુ વર્ષે હિન્દુ ધર્મના લોકોએ અનેક ગામોમાં પ્રતિષ્ઠા મહોત્સવ થકી ભગવાનની ભક્તિમાં જોડાયા હતા જે અંતર્ગત ડીસા તાલુકાના કંસારી ગામે પણ આજે ગ્રામજનો દ્વારા ગામ માં બનાવેલ ચામુંડા માતાના મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં સાધુ સંતો દ્વારા ચામુંડા માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હોમ હવન કરવામાં આવ્યો હતો જેમાં કંસારી સહિત આજુબાજુના અનેક ગામોમાંથી લોકો આ હવનમાં જોડાયા હતા. જે બાદ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ચામુંડા માતાના દર્શન કરી તેમજ પ્રસાદી લઇ ધન્યતા અનુભવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *