ખેડૂતોને વળતર આપો પછી કામ કરો : ધારાસભ્ય ગેનીબેન ઠાકોર
વાવ તાલુકાના કારેલી-ચંદનગઢ ગામની સીમમાં જેટકો દ્વારા ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોની મંજૂરી કે વળતર આપ્યા વગર ઉભા પાકમાં વીજલાઈનનું કામ ચાલુ કરી દીધું હતું. જેને લઈ ખેડૂતોએ થરાદ નાયબ કલેકટર તેમજ વાવ ધારાસભ્યને જાણ કરતા શનિવારે રૂબરૂ મુલાકાત લઈ કામ અટકાવ્યું હતું અને ખેડૂતોને વળતર આપી કામ ચાલુ કરવા જણાવ્યું હતું.વાવના કારેલી ગામની સીમમાં ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોની મજૂરી કે વળતર આપ્યા વગર જેટકો દ્વારા ઉભા પાકમાં વીજલાઈનનું કામ ચાલુ કરી દીધું હતું. જેને લઈ ખેડૂતોએ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને જાણ કરતા શનિવારે તેઓ ઘટના સ્થળે જઇ કામ અટકાવ્યું હતું અને ખેડૂતોને ન્યાય નહિ મળે ત્યાં સુધી કામ ચાલુ નહિ કરવામાં આવે. તેમજ ખેડૂતોને ન્યાય માટે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ છતાં ન્યાય નહિ મળે તો નીડર આઝાદ કે ઝાંસીની રાણી બનવું પડે તો બનીશું તેમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું