સુઈગામ તાલુકા ગૌ શાળા ના સંચાલકો એ આપ્યું આવેદન પત્ર

સુઇગામ તાલુકા ના જેલાણા જગતપુરી ગૌશાળા સેવા ટ્રસ્ટ સહિત તાલુકાન ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા સુઈગામ મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપ્યું હતું . વર્ષ ૨૦૨૧ -૨૨ માં સરકાર દ્વારા 500 કરોડ રૂપિયા ઘાસચારા ની સહાયની જાહેરાત કરાઈ હતી પણ સરકાર તરફથી જાહેરાત બાદ કોઈપણ ગૌ વંશજો માટે દાન આપવા માં  ધટાડો થતા પશુ ધન ને નિભાવ વા મુશ્કેલ બની ગયા છે જયારે સરકારી સહાયના સહારે ચાલતી ગૌશાળાઓની ગૌવંશ સહિતના પશુધનની હાલત ખૂબ જ ગંભીર બની છે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ના છૂટકે પશુઓને ગૌશાળામાંથી છૂટા મૂકી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *