બનાસકાંઠાની જીવા દોરી સમાન ગણાતા જિલ્લાના ત્રણ જળાશયોની ખાલી ખમ દાંતીવાડામાં 9.38 ત્યારે મુક્તેશ્વર ડેમમાં 3 ટકા પાણી દાંતીવાડામાં ડેમમાં 9.38 મુક્તેશ્વરમાં 3 સિપુમાં 0.39 ટકા પાણી ખેડૂતો માં ચિંતા બનાસકાંઠાની જીવા દોરી સમાન ગણાતા જિલ્લાના ત્રણ જળાશયોની પરિસ્થિતિ ગંભીર બની છે.ભર ચોમાસે ત્રનેય ડેમ ખાલી ખમ જોવા મળી રહ્યા છે દાંતીવાડા સીપુ અને મોકતેશ્વર ડેમમાં પાણી ન હોવાને કારણે જિલ્લા માં આવનારો સમય પાણી માટે મુશ્કેલીઓ ભર્યો બનશે તેઓ વર્તાઈ રહ્યું છે જોકે જિલ્લાના મુખ્ય ત્રણ ડેમોં દાંતીવાડા માં 9.38 ટકા મુક્તેસ્વમાં 3 ટકા સિપુમાં 0.39 ટકા પાણી છે જેને લઇને જિલ્લાના ખેડૂતો માં ચિંતા જોવા મળી રહી છે ગુજરાતનાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થી નદીઓ ડેમ તેમજ તળાવો છલકાયા છે ચારે બાજુ પાણી જ પાણી છે.તો બીજી તરફ ઉતર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદને લઇ ખેડૂતો ચિંતામાં છે જિલ્લાનાં સૌથી મોટા ત્રણ જળાશયો ખાલી ખમ જેવી પરિસ્થિતિમાં છે સીપુ ડેમ તો એક વર્ષ થી ખાલીખમ છે જ્યારે દાંતીવાડા ડેમમાં નહિવત માત્ર 9.38 ટકા પાણી છે તેમજ મુક્તેશ્વર ડેમ માં 3.38 ટકા પાણી છે ત્યારે ભર ચોમાસે જીવાદોરી સમાન આ ડેમ ખાલી ખમ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.