કેન્દ્રશાસિત બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ શહીત વિસ્તારમાંથી ભારતમાલા રોડ નું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારત માલા રોડનું વરસાદી પાણી નિકાલના હોવાના કારણે તેમજ રોડનું પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાઇ રહ્યાં છે અને ખેડૂતોએ વાવલ પાક નિષફળ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.વધુ માં થરાદમાંથી પસાર થતો ભારતમાલા રોડ બૂથણપુર ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેતરોમાં આવેલ પાક જુવાર બાજરી મગફળી શહીત પાક નષ્ટ થયો હતો જ્યારે વધુ વરસાદ પડે તો વધુ પાકને નુકસાન થવાની દહેજ ભીતિ સતાવી રહી છે ખેડૂતો ચિંતિત મુંઝવણમાં મુકાયા છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી….