બનાસકાંઠા જિલ્લા ના વિવિધ તાલુકા ના તલાટી ઓ દ્વારા તા 2-08-2022 થી અચોક્કસ હડતાલ પર ઉતર્યા છે જેમાં થરાદ તાલુકા ના તલાટી ઓ દ્વારા ગત રોજ ટીડીઓ ને આવેદન આપી પોતાના પડતર પ્રશ્નો નો નિવડો લાવા જણાવ્યું હતું પરંતુ કોઈ નિવડો ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મંડળ ના આદેશ અનુસાર આજ રોજ તા પંચાયત ખાતે હડતાલ પર ઉતર્યા છે જેમાં થરાદ તાલુકા ની ગ્રામપંચાયત ની ચાવીઓ સહિત સિક્કાઓ જમા કરાવી હડતાલ ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે
ત્યારે હડતાળ ને કારણે પંચાયતો માં નિયમીત કામગીરી જેવા કે વારસાઇ, પેઢીનામુ, આવક-જાતિ ના દાખલા, જન્મ – મરણ ના દાખલા, ઘરવેરાની પહોચ, આકારણી, વિધવા દાખલો,પાણી પત્રક કામગીરી સહિત ની જરૂરિયાતો વિના મૂલ્યે મળતી માહિતી અને જાણકારી બંધ થઇ જતા અરજ દારો હેરાન પરેશાન થઈ રહ્યા છે સત્વરે સરકાર આ હડતાલ પાછી ખેચાવે અથવા તો તેમની માંગણી ઓ સ્વીકારે તેવું લોકો કહી રહ્યા છે