
ગુજરાત સરરકાર શ્રી દ્વારા એકઅનોખી પહેલ કરવામાં આવી છે જેમાં પશુઓ માટે દસ ગામ દીઠ એક ફરતા દવાખાના માટે ડોક્ટર ની ટીમ તેમજ ગાડી ફાળવવામાં આવી છે જે બિલકુલ નિઃશુક છે અને જેની નોંધણી માટે 1962 નંબર પર કોલ કરીને જાણ કરવાની હોય છે તયારે થરાદ તાલુકા મા પણ બે ટિમો ફાળવવા મા આવી છે જેમાં એક જેતડા તેમજ બીજી રામપુરા ગામે ટીમ ફાળવવા મા આવી છે તયારે ગુજરાત સરકાર ની તેમજ રામપુરા ટીમના ડો. કિરણસિંહ તેમજ પાઇલોટ બબાજી ની ખુબ સારી કામગીરી લોકો બિરદાવી રહ્યા છે ત્યારે વામી ગામની સીમમાં મેઈન કેનાલ પર રખડતા એક આખલા (નંદી)ને છેલ્લા ત્રણ દિવસ ખુબ બીમાર હાલત મા દેખાતા બાજુ ના ખેતર માલિક વિક્રમભાઈ રાજપૂત દ્વારા સ્થાનિક પ્રાઇવેટ પશુ ડોક્ટર બોલાવી ને દવા કરાવેલ પણ કઈ ફરક ન દેખાતા 1962નંબર પર કોલ કર્યા ના થોડાજ સમયમા ફરતા પશુ દવાખાના ની ટીમ સ્થળપર આવીને નંદી ને દવા કરીને ભાનમાં લાવેલ ત્યારે ઇમરજન્સી સેવા આપવાબદલ ડો..કિરણસિંહ રાજપૂત તેમજ પાઇલોટ. બબાજી રાજપૂત નોસ્થાનિક લોકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો .