સુઈગામ તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ માટે ૧૫ માં નાણાંપંચમાંથી ખર્ચ કરવાની મંજુરી આપવા જીલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત ….

  • કોરોના ના મુદ્દે DDO ને રજૂઆત
  • સુઈગામ તાલુકા પંચાયતને ૧૫ માં નાણાંપંચમાં થી ૫૦ લાખ ની ફાળવણી ની રજૂઆત
  • સુઈગામ રેફરલ હોસ્પિટલ માં ઓક્સીજન પ્લાન્ટ ની લોક માંગ

કોરોના મહામારી સમગ્ર ગુજરાત તેમજ બનાસકાંઠા જિલ્લામાં ફેલાયેલ છે , બનાસકાંઠા જિલ્લામાં દૈનિક સરેરાશ ૧૮૦ થી ર૦૦ જેટલા સક્રમિત કેસો નોધાઈ રહ્યા છે.હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સરકાર હસ્તકની બનાસ કોવિડ કેર / બનાસ મેડીકલ કોલેજ જનરલ હોસ્પિટલ તેમજ ખાતે કોરોનાની સારવાર માટે બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે , બનાસકાંઠા જીલ્લામાં સુઈગામ તાલુકાનાં લોકોની કોરોનાની સારવાર માટે સુઈગામ સીએચસી હોસ્પિટલમાં ર૦ બેડની ઓક્સિજન સાથેની સુવિધા ઉભી કરવામાં આવી છે . જેમાં હાલ ઓક્સિજનની બોટલો મારફતે દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે . છેલ્લા એક અઠવાડીયાથી ઓક્સિજનની બોટલો મારફતે  દર્દીઓને ઓક્સિજન પૂરી પાડવામાં આવી રહ્યો છે . છેલ્લા એક  અઠવાડીયાથી ઓક્સિજનની રો-મટીરીયલના કારણે અછત થતી  હોઈ અને ઓક્સિજનની જરૂરિયાત વિપુલ પ્રમાણમાં જણાતી હોઈ તેવા દર્દીઓની સંખ્યા વધતા સારવાર હેઠળ રહેલા દર્દીઓને હાલની કાર્યરત વ્યવસ્થાથી સારવાર આપવી ખૂબ જ મુશકેલ જણાય છે , જો સુઈગામ રેફરલ હોસ્પીટલમાં ઓક્સિજન પલાન્ટની સુવિધા ઉભી કરવામાં આવે તો રેફરલ હોસ્પિટલ સુઈગામ મુકામે કોરોનાનાં દર્દીઓની સારવાર ઝડપી અને સરળતાથી મળી રહેશે ,માટે તાલુકા પંચાયતોને સુપ્રત કરેલ વહીવટી સતા અને ફરજો નીભાવવા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ માં થયેલ જોગવાઇઓ અનુસાર રોગચાળાનો ફેલાવો અટકાવવા તથા રૌગ ચાળાનો ભોગ બનેલ લોકોને સહાય કરવાની બાબતનો અમલ કરવા પ્રર્વતમાન પરિસ્થિતિને ધ્યાને લેતા જરૂરી બનેલ છે જેની વિચારણા હાથ ધરતા ઠરાવ કરવામાં આવેલ  છે જેમાં સુઈગામ ટી .ડી .ઓ કાજલબેન આંબલીયા અને સુઈગામ તાલુકા પ્રમુખ અને ચુટાયેલા પ્રતિનિધિ અને  સભ્યો દ્વારા આજ રોજ તા.૦૪ / ૦૫ / ૨૦૧૫ ના આ સંરક્યુલર ઠરાવ કરી બનાસકાંઠા જિલ્લામાં કોવિડ -૧૯ કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે તાલુકા પંચાયતોને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ હેઠળ પ્રાપ્ત થયેલ વહીવટી સતા અને ફરજો પૈકી અનુસૂચી ૨ ના ભાગ ૧ ના ખેડ ૧ ( છ ) મુજબ રોગચાળામાં લોકોને યોગ્ય સહાય અને રક્ષણ આપવાની વ્યવસ્થા કરવા બાબતની જોગવાઈ કરેલ છે . જે અનુસાર  રેફરલ હોસ્પિટલ , સુઈગામ ખાતે એક ઓક્સિજન પ્લાન્ટ નાખવાનું નક્કી કરે છે , જેથી કોવિડ -૧૯ ( કોરોના , મહામારીના ભોગ બનેલ લોકોને જીવાદોરી સમાન ઓક્સિજન પૂરી પાડી શકીએ . આ પ્લાન્ટ માટે અંદાજિત કુલ ખર્ચ ૫૦ લાખ થનાર છે , આ ખર્ચ પૈકી ૫૦ લાખનું યોગદાન તાલુકા પંચાયત સુઈગામ લોકહિતાર્થે આરોગ્યને સુખાકારી સેવા માટે ઉઠાવવા તૈયાર છે . આ માટે સુઈગામ તાલુકા પંચાયતને ૧૫ માં નાણાંપંચની નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં ઉપલબ્ધ જોગવાઈ રૂ .૫૦ લાખ ( અનટાઈડ બેઝિક ગ્રાન્ટ ) સરકયુલર કરાવથી કરેલ જોગવાઈ અનુસાર રૂ .૫૦૦૦૦૦૦  અંકે રૂપિયા પચાસ લાખ પૂરાની જોગવાઈ જીલ્લા વિકાસ અધિકારી ને કરવામાં આવી છે જેથી DDO શ્રી આ મુદ્દે તાત્કાલિક રીતે મંજુર કરે તો લોકો ને પ્રાણ વાયુ મળી શકે ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *