થરાદ ની નર્મદા કેનાલમાંથી મળી સોની વેપારીની લાશ ..

બનાસકાંઠા જીલ્લાના થરાદની નર્મદા કેનાલમાંથી સોની વેપારીની લાશ મળતાં હડકંપ મચી ગયો છે. જાણવા મળતી વિગતો મુજબ થરાદના વેપારીની  એક્ટિવા સાથે લાશ નર્મદા કેનાલ પરથી મળી આવી છે. જોકે હજી સુધી વેપારીના નામ સહિતની વિગતો સામે આવી નથી. આ તરફ ઘટનાને જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત વેપારીઓ ઘટનાસ્થળે પહોંચતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે વેપારીએ હાથમાં પહેરેલ સોનાની વીંટીઓ પણ આસપાસથી નહીં મળતાં પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. નગરપાલિકા તરવૈયા સુલતાન મીર દ્વારા મૃતકની લાશને બહાર કઢાયા બાદ પોલીસે થરાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *