મકરસંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિ – ઉત્તરાયણની ઉજવણી કરે છે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનો ખૂબ જ મહિમા છે. આ દિવસે તલના લાડવામાં પૈસો મૂકીને ઘણા માણસો ગુપ્તદાન પણ કરતાં હોય છે. ઘણા માણસો ગાયોને ઘાસચારો નાખે છે. કોઇ માણસો શિયાળાની ઠંડીમાં ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન પણ આપે છે. જેના ભાગ રૂપે ગત તા -૧૩ /૧૨/૨૦૨૨ રાત્રી ના મકર સંક્રાંતિ ના પાવન પર્વ ની પૂર્વ સંધ્યા એ માડકા યુવા ગ્રુપ ના મિત્રો દ્વારા ગામ માં રખડતા શ્વાનો માટે ગામ ના સહયોગ થી ૧૨૦ કિલો ઉપર ના લાડુ બનાવવામાં આવ્યા હતા..ગામ ના યુવા મિત્રો ના સાથ સહકાર થી યુવા ગ્રુપ માડકા હમેશા સેવાકીય કાર્ય કરી અન્યો માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યું છે ,ત્યારે અત્યારે પણ કૂતરાઓ માટે લાડુ ની વ્યવસ્થા યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી ,ગામ ના તમામ યુવા મિત્રો એ જાત મહેનત કરી હાજર રહી સેવા પૂરી પાડી હતી..ખરેખર ગામ ના યુવાનો ની એકતા અને તેમનું કાર્ય વંદનીય છે