વાવ જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજવંદન કરાયું ,હિંદુ મુસ્લિમ કોમી એકતા સાથે ત્રિરંગા ને સલામી અપાઈ

આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ પ્રસંગે તા.15/08/2022 ના રોજ વાવ જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજ વંદન ફરકાવીને સલામી આપવા માં આવી હતી આ પ્રસંગે વાવ સરપંચ ભરતસિંહ સોઢા તથા કાનજીભાઈ રાજપૂત તથા એચ. બી. વેંઝિયા તથા સુરેશભાઈ ત્રિવેદી તથા થાનાજી ચારડીયા તથા ઈશ્વરભાઈ ચારડીયા તથા રામસીંગ ભાઈ ચારડીયા તથા પુર્વ સરપંચ ઠાકરસી ભાઈ તથા સર્વ ગ્રામજનો તથા વાવ જુમ્મા મસ્જીદ ના મૌલાના ઈકબાલ મૌલાના સૈફુદ્દીન મૌલાના વાહિદ જુમ્મા મસ્જિદ ના ટ્રસ્ટી ઓ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને ત્રિરંગા ને સલામી આપી હતી અને દેશ ની આઝાદી માટે શહીદ થનાર તમામ શહીદોને યાદ કરી ને તેમની કુરબાની ઓ ને બિરદાવી હતી અને છેલ્લે આભાર વિધિ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *