ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે અંતે યુવરાજ સિંહને ટ્વિટર પર જવાબ આપ્યો છે અને સાથે હાથ પણ જોડી લીધા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની સીરિઝની નિર્ણાયક મેચ બાદ યુવરાજે પંત અને હાર્દિક પંડ્યાની પ્રશંસામાં જે ટ્વીટ કર્યુ હતુ, તે વાયરલ થઇ રહ્યુ હતુ. રિષભ પંતે સારી રીતે તેનો જવાબ આપ્યો છે.યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની પોતાના સમયમાં ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટિંગ લાઇન અપનો જીવ હતા. આ બન્નેએ મળીને કેટલીક વખત ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત સુધી પહોચાડી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રવિવારે રમાયેલી નિર્ણાયક વન ડે મેચમાં રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ પણ કઇક આ અંદાજમાં ટીમ ઇન્ડિયાને જીત સુધી પહોચાડી છે, જેના દમ પર રોહિત શર્મા એન્ડ કંપનીએ ત્રણ મેચની વન ડે સીરિઝ પર 2-1થી કબજો કરી લીધો છે.આ મેચ બાદ યુવરાજ સિંહે ટ્વિટર પર લખ્યુ હતુ, એવુ લાગે છે કે 45 મિનિટની વાતચીતનો અર્થ હતો. સારૂ રમ્યા રિષભ પંત, આ રીતે તમે પોતાની ઇનિંગમાં ઝડપ લાવો છો, હાર્દિક પંડ્યાને જોઇને પણ સારૂ લાગ્યુ.આ ટ્વીટનો જવાબ આપતા રિષભ પંતે લખ્યુ, હાં, તેની અસર પડી યુવી પા. ભારતે 260 રનના પડકારનો પીછો કરતા 72 રને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તે બાદ હાર્દિક પંડ્યા અને રિષભ પંતે મળીને ઇંગ્લિશ બોલરોની ધોલાઇ કરી હતી. હાર્દિક પંડ્યાએ 55 બોલમાં 71 રન બનાવ્યા હતા જ્યારે રિષભ પંતે 113 બોલમાં 125 રન બનાવીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. રિષભ પંત અને હાર્દિક પંડ્યાની આ ઇનિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડને વન ડે સીરિઝમાં 2-1થી હરાવ્યુ હતુ. રિષભ પંતે વન ડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. રિષભ પંતની આ ઇનિંગની દિગ્ગજોએ પણ પ્રશંસા કરી હતી