ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતિત થયા છે. ત્યારે કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં અંબાજી દાંતામાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજી અને આજૂબાજૂના વિસ્તારમાં ભારે હવા સાથે વરસાદની શરૂઆત થઈ છે. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાનની થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે દિવસ દરમિયાન યાત્રાધામ અંબાજી અને આજૂબાજૂના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે