ભગવાન જગન્નાથજીની રથયાત્રા લઈને પોલીસ નો  ફ્લેગ માર્ચ

             આવતી કાલે યોજાનાર અષાઢી બીજના દિવસે વાવ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠા પોલીસે વાવ શહેરમાં રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી. પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવવા માટે શું તૈયારી કરવામાં આવી છે અને લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. જેમાં વાવ માં ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈ વાવ પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી. જેમા સ્થાનિક આગેવાનો સહિત કોંગ્રેસ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હોદ્દેદારો સેવાભાવી સંસ્થાઓ પ્રતિનિધિ મહિલાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાવ માં ભગવાન જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ઉપસ્થિત સૌ આગેવાનોને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *