Pm નરેદ્ર મોદી શનિવારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા.pm નરેન્દ્ર મોદીનો 2 દિવસનો ગુજરાત પ્રવાસમાં રવિવારે ભુજ ખાતે તેમને એક રેલી યોજી હતી.આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતમાંથી લગભગ 2400 જેટલી બસોને ભુજ ખાતે પબ્લિકને લઇ જવા માટે મુકવામાં આવી હતી.સમગ્ર ગુજરાતમાંથી હજારો માણસોને બસ મારફતે ભુજ ખાતે પહોંચાડવા માટે સુવિધા કરવામાં આવી હતી.જ્યારે ભુજ ખાતે હજારો બસો રસ્તા પર ઉભી હતી તેનો વીડિયો વાયરલ થયો હતો.આ વીડિયો સમગ્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને આ વીડિયો જોઈને લોકો એ ઘણી કોમેન્ટ કરી હતી.ગુજરાતમાં અત્યારે આ બસો વિશેના મુદ્દા પર ખૂબ ચર્ચાઓ અને તેના વિશે ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે.લોકો કહી રહ્યા છે કે જ્યારે લોક ડાઉન આવ્યું ત્યારે આ બસો મૂકી હોત તો મજૂરો અને ગરીબ પરિવારોને હજારો કિલોમીટર ચાલવું ન પડ્યું હોત.રસ્તા પર કેટલાય માણસો પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા તે ના થાત જો સરકારે બસો મૂકી હોત તો.વધુ માં નાગરિકો એવું પણ કહી રહ્યા છે કે આ બધા પૈસા ક્યાંથી આવશે, કોના બાપની દિવાળી થઈ રહી છે?. સોશિયલ મીડિયા પર 2400 બસો લેખે ખર્ચ ગણવામાં આવ્યો છે જેમાં એક દિવસનો રેલી નો ખર્ચ 40કરોડ જેટલો બતાવામાં આવ્યો છે.આ બધા રૂપિયા ક્યાંથી આવે છે અને શા માટે આટલા બધા રૂપિયા સરકાર વેડફી રહી છે તેવો સવાલ કર્યો હતો.ગરીબો મજદૂરોના ટેક્સના રૂપિયાથી કરોડો રૂપિયાની રેલીઓ થઈ રહી છે જ્યારે ગરીબ પરિવાર દિવસે ને દિવસે પાયમાલ થતો જઇ રહ્યો છે તેવું સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ બીજેપી અને નરેન્દ્ર મોદી પર રૂપિયા વેડફવાનો આરોપ લગાવ્યો હતો.