અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે એક પેસેન્જર વિમાનતૂટી પડ્યું હોવાના અહેવાલ છે.
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે.

આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન દળ અને પોલીસની ટીમતાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અમારા સંવાદદાતા જણાવે છે, બચાવ અને રાહતકામગીરીને સરળ બનાવવા દુર્ઘટના સ્થળ તરફ જતા તમામ રસ્તા બંધ કરી દેવાયા છે.ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટનાનુંકારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.