ભારત એક લોકશાહી દેશ છે અને અને ભારત માં પ્રજાએ ચૂંટાયેલા લોકો શાસન માં ચલાવતા હોય છે.ભારત ની લોકશાહી છેલ્લા ઘણા સમય થી ખતરામાં હોય તેવા આક્ષેપો વારંવાર થતાં હોય છે.વર્તમાન સમય માં ગુજરાત માં ગ્રામપંચાયતો માં પણ આવી જ પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે.વાવ તાલુકામાં આવેલી અંદાજિત 32 ગ્રામપંચાયતો માં સરપંચ પદ ની બેઠક ખાલી છે.આમ તો મોટા ભાગ નો ગ્રામપંચાયત નો વહીવટ સરપંચ કરતા હોય છે.અને સરપંચ ને ચૂંટણી કરી ચુંટીને લાવતા હોય છે.આજ લોકશાહી ની પરિભાષા છે.પરંતુ અત્યારે વાવ તાલુકા માં આવેલી અંદાજિત 32 ગ્રામપંચાયત માં હાલત એવી છે કે કોઈ સરપંચ નથી.અને આ ગ્રામપંચાયતો નો વહીવટ વહીવટદારો કરે છે.ગ્રામપંચાયતો માં વહીવટ શાસન લાગુ કર્યા બાદ વહીવટ દારો પર ગંભીર પ્રશ્ન ઉઠવા પામ્યા છે.ત્યારે લોકો ને પારાવાર મુશ્કેલી અનુભવાય છે ત્યારે અંગે રાજ્ય ચૂંટણી પંચ આ અંગે ગંભીર નોંધ લઈ બાકી રહેલ ગ્રામપંચાયત ના સરપંચો ની ચૂંટણી કરાવે તે લોકહિત માં છે