યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
સરહદી પંથક ના વાવ તાલુકા ના કુંડાળીયા ગામે પીવાના પાણી ની સમસ્યા ઓ સર્જાઈ રહી છે જો કે કેટલાય દિવસ થી પીવાનું પાણી ના મળતા લોકો માં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે .જો કે ઉલ્લેખનીય છે સરહદી પંથક ને અડી ને આવેલું કુંડાળીયા ગામ અને ગામ ને આડી ને રણ આવેલુ છે .મળતી માહિતી મુજબ ભૂતળમાં પાણી તો છે .પરંતુ પાણી ખારાસ વાળું હોય ત્યાના લોકો વલખા મારી રહ્યા છે .એક બાજુ મોદી સરકારે પેટ્રોલ ડીઝલ માં ભાવ વધારા ના કારણે લોકો ને પીવા લાયક પાણી લાવવા નો ખર્ચ પોષાતો ના હોઈ ખેડૂતો માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામ માં હાલ લોકો વિરડા અને કુવા ઓ નું ક્ષારવાળું પ્રદુષિત પાણી પીવા મજબુર બન્યા છે. કુંડાળીયા ગામ માં હાલ માં પાણી વિના તળવલી રહ્યું છે અને ગયા વર્ષે પાણી ના અભાવે કેટલીય રળી ગાયો મરણ પામી હતી ..
મહિલા સરપંચ શ્રી વારંવાર પુરવઠા વિભાગ માં વિનંતી કરેલ છે .અને કહેલ છે અમારા ગામ માટે પાણી વ્યવસ્થા કરી આપો અમારા ગામના ઓવાડા ને પાણી ના ટેન્કર મારફતે આપવા રજૂઆત કરવામાં આવી પરંતુ પાણી પુરવઠા વિભાગ ના રાણા સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે તમારા ગામમાં પાણી આવે છે અને પાણી ના ટેન્કર કોઈ ગામ માં આપીશું નહિ જેથી મહિલા સરપંચ તરીકે વારંવાર રજૂઆત કરતા અને અંતે હતાશ થઇ મુખ્યમંત્રી અને કલેકટર ને પત્ર લખ્યો છે અંતે કુંડાળીયા ગામ ના મહિલા સરપંચે અમારી મીડિયા ટીમ ને ટેલીફોનીક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અમારા ગામ માં તત્કાલિક પાણી છોડવામાં આવે નહીતર ના છુટકે મારા નાના બાળક સાથે પ્રાંત કચેરી આગળ ઉપવાસ બેસવા ઉગ્ર માંગો કરી હતી .અને ના છુટકે રાજીનામું આપવા તાકીદ કરી હતી …