વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાલનપુર માં આદિવાસી સમાજે પોતાના ટ્રેડિશનલ પહેરવેશ સાથે ભવ્ય શોભાયાત્રા યોજી

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાલનપુર માં આદિવાસી સમાજે પોતાના ટ્રેડિશનલ પહેરવેશ સાથે ભવ્ય શોભાયાત્રા યોજી હતી .એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાન’ના નારા સાથે નિકળેલી વિશ્વ આદિવાસી યાત્રાએ આકષૅણ જણાવ્યું.. યુનાઇટેડ નેસન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે મંગળવારે પાલનપુર શહેરના ભીલસમાજ વાડી ખાતે થી આદિવાસી સમાજ ની ભવ્ય શોભાયાત્રા પોતાના ટ્રેડિશનલ પહેરવેશ સાથે નીકળતાં શહેરીજનો માં આદિવાસી યાત્રા આકષૅણ નું કેન્દ્ર બની હતી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવેલ આ યાત્રા માં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજ ના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સમગ્ર ભારત વર્ષમાં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અનુસંધાને પાલનપુર શહેરમાંઅને અજુ બાજુ ગામડામાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના સૂત્ર સાથે શહેરના ભીલ સમાજ નિ વાડી ખાતે થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *