યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
બનાસકાંઠા ના વાવ ખાતે આજરોજ શાળા નંબર .૦૨ ખાતે મતદાતા દિન ઉજવણી કરવામાં આવી હતી .આ રાષ્ટ્રીય મતદાતા દિન અભિયાન ની શરૂઆત ૨૦૧૧ થી કરવામાં આવી હતી .લોકશાહી માં લોકો ને જાગૃતી ફેલાવવા માટે કાર્યક્રમ કરવામાં આવે છે .અને લોકશાહી માં દેશ ના મતદાતા નો મહત્વ નો ફાળો રહેલ છે જે અંગે આજ રોજ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .જેમાં કાર્યક્રમ નો શુભઆરંભ પ્રાથના દ્વારા કરવામાં આવ્યો હતો .ત્યાર બાદ એક બાળકી દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિન નું મંતવ્ય રજુ કરવામાં આવ્યું હતું .ત્યારબાદ શાળા ના શિક્ષકો અને ગામ લોકો દ્વારા આવેલા મહેમાનું નું એક પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું ..જે પ્રસંગે વાવ નાયબ મામલદાર ઈશ્વરભાઈ બાયડ ,વાવ તાલુકા વિકાસ અધિકારી બી .જી.રાજપૂત ,અને વિસ્તરણ અધિકારી રાવલ સાહેબ ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગોવિંદભાઈ પટેલ સાહેબ અધિકારી હાજર રહી આ કાર્યકર્મ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હિતેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા આભાર વિધિ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ..