દિયોદરમાં સોમવારે ભારે વરસાદના કારણે સોનીથી નવાપુરા તરફ જતાં માર્ગ પર ભારે વરસાદથી રોડ ધોવાઇ ગયો હતો. જયારે એક વૃક્ષ વીજ લાઇન પર પડતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે અનેક જગ્યાએ નુકશાન થવા પામ્યું હતું.ત્યારે સોમવારે દિયોદર પાસે આવેલ નવાપુરા નજીક એક રોડ ધોવાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો રહ્યો હતો. જ્યારે એક વૃક્ષ લાઇન પર ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.જયારે ભારે વરસાદના પગલે ખેતરોમાં વાવેલા પાક પણ ધોવાઇ ગયા હતા અને લીલો ઘાસચારો તેમજ અનેક પાક પણ આ ભારે વરસાદના કારણે જમીનદોસ્ત થઇ ગઇ હતી.જેના કારણે ખેડૂતોને મોટું નુકશાનીનો સામનો કરવો પડશે. જયારે ત્રણ દિવસ બાદ ભારે પડેલા વરસાદના કારણે અને અનેક જગ્યા પાણી ભરાયાં.વૃક્ષો પડી ગયા હોવા ના અનેક જગ્યાએ નાના મોટા નુકશાન ના સમાચાર સામે આવી રહ્યા છે.