ખરાબ રોડ રસ્તાથી લોકો પરેશાન છે ત્યારે હવે આ અનુભવ મંત્રી અને ભાજપના નેતાને પણ થઈ રહ્યો છે. બાઈક પર થરામાં નિકળેલી તિરંગા યાત્રામાં આ અનુભવ થયો હતો. આ જમીની હકીતનો અનુભવ રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના પણ થયો હતો.તિરંગા યાત્રાનું આયોજન તમામ જિલ્લાઓની અંદર થઈ રહ્યું છે ત્યારે થરાદમાં પણ આ યાત્રા યોજાઈ હતી. જેમાં શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહને કડવો અનુભવ થયો હતો. ખુદ મંત્રી પણ થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર તિરંગા યાત્રામાં ખાડામાં બાઈક પર પડતા પડતા રહી ગયા હતા.થરાથી રુણી જતા રોડ પર તિરંગા યાત્રા દરમિયાન મંત્રીને આ અનુભવ થયો હતો. શિક્ષણ મંત્રી કિર્તીસિંહ અને જિલ્લા ભાજપ પ્રભારી સુરેશ શાહનું ટુ વ્હિલર તિરંગા યાત્રામાં અટવાયું પડ્યું હતું. જો રોડ રસ્તા પર મંત્રીની પણ આ પ્રકારની હાલત થઈ છે. લોકોને રોજ આપ પરિસ્થિતિથી પસાર થવું પડી રહ્યું છે. અગાઉ ખાડા અને પાણી આ સર્વિસ રોડ પર ભરાઈ જવાને લઈને અનેક રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી છે ત્યારે હજુ સુધી તેનો કોઈ નિવેડો નથી આવ્યો. વીડિયોમાં પણ સ્થાનિકો કહી રહ્યા છે મંત્રીને પણ ખાડા નડી રહ્યા છે. હાઈવે ઓથોરીટીની બેદરકારીના કારણે આ ખાડાઓ મોટા પડી રહ્યા છે.ચોમાસામાં રોડ ધોવાઈ જવાની અને ખાડાઓ પડી જવાની સમસ્યાઓ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે ત્યારે તિરંગા યાત્રા જ્યારે નિકળી હતી ત્યારે પાણી રોડ પર ભરાયું હોવાથી પાણીમાં ખાડો હોવાની કોઈને જાણ નહોતી જેથી બાઈક યાત્રામાં આગળ જઈ રહેલા મંત્રીનું બાઈક પણ ફસાઈ જતા મંત્રી પણ પડતા પડતા બચી ગયા હતા. આ પ્રકારની સમસ્યાઓ ખાડાને લઈને ઠેર ઠેર જોવા મળી રહી છે ત્યારે હકીકતનો અનુભવ મંત્રીને પણ થયો હતો. જેમનું બાઈક પણ ખાડામાં ફસાઈ જતા વીડિયો વાયરલ થયો હતો.