પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને જેને લઇને સમગ્ર ગુજરાતમાંથી એસટી બસની સુવિધા વડાપ્રધાન કાર્યક્રમમાં લોકોને પહોંચાડવા માટે ઉપલબ્ધ કરાઈ હતી જેમાં ડીસા અને થરાદ ડેપો ની 85 બસો કાર્યક્રમમાં ગઈ હતી કાર્યક્રમ બાદ 450થી વધુ કિમી અંતર કાપી ખાલી બસો પરત આવતા એસટી બસોને એસટી વિભાગને મોટું નુકસાન થવા પામ્યું છે અને આજરોજ ડીઝલ ભરાવવા માટે ડીસા ખાતે બસોની લાંબી કતારો લાગી છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગઈકાલે સુરત સહિત આજુબાજુના વિસ્તારમાં આવ્યા હતા જેને લઇને સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાંથી સમગ્ર ગુજરાતમાંથી કાર્યક્રમમાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને લોકોને આ કાર્યક્રમ સુધી પહોંચવા માટે સરકારી બસો ઉપલબ્ધ કરાઈ હતી અને લોકોને નરેન્દ્ર મોદી ના કાર્યક્રમમાં પહોંચાડવામાં આવ્યા હતા 450 કિમી નું અંતર કાપી બસો ખાલી પરત ફરી હતી.જેથી એસટી વિભાગ ને નુકસાન થવા પામ્યું હતું. ગઈકાલે આ કાર્યક્રમમાં જ્યારે દિશા અને થરાદ ડેપો ની 85 જેટલી બસો આ કાર્યક્રમમાં ગઈ હતી અને ૪૫૦કિમી થી વધુ નું અંતર કાપી ખાલી બસો આવી હતી અને આજે આ બસો ડીઝલ ભરાવવા માટે પહોંચી હતી જ્યાં લાંબી લાંબી કતારો જોવા મળી હતી..
