ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરની વિવિધ ગ્રામપંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે બનાસકાંઠા(banaskantha) જિલ્લામાં પણ વાવ તાલુકાની કુલ ૫૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી. પરંતુ લોકશાહી અને સહમતિનો સુંદર દાખલો પુરો પાડતાં ચોટીલ ગ્રામપંચાયતે મતદાનથી પહેલાં જ સમરસતાની દિશામાં પગલું ભર્યું છે.

ચુંટણી પ્રક્રિયામાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચોટીલ (chotil) ગ્રામપંચાયતની આખી બોડી બિનહરીફ રહી હતી. જેને પગલે આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે.

ચોટીલના તમામ ગ્રામજનો એકમનથી ભેગા મળી દેશના લોકશાહી ઢાંચામાં સમરસતાની આ ઉજળતી પરંપરાને આગળ ધપાવતાં સરપંચ પદ માટે શ્રી પટેલ શંકરભાઈ ગંગદાસભાઈની પસંદગી કરી છે. તેમના નેતૃત્વમાં ગામના સર્વાંગી વિકાસની આશા અને અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રસંગે ગ્રામજનોએ સહકાર, એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે એકબીજાનો અભિનંદન આપી, આ સમાજમાં સમરસતાની ભાવનાને વધારે મજબૂત બનાવી છે.
સંદેશ: ચોટીલ જેવી ગ્રામપંચાયતોના આઉટપુટથી સ્પષ્ટ છે કે સંવાદ, સહમતિ અને સમાજહિતની ભાવના હોય તો વિવાદથી નહિ, પરંતુ સંમતિથી પણ વિકાસના દ્વાર ખુલવા શક્ય છે.