આજના સમયમાં ટેલિવિઝન દરેક ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયુ છે. જેમાં સમાચારથી માંડીને ફિલ્મો, સિરિયલ, વિવિધ પ્રકારના શો આ બધું જ ટીવીની આ દુનિયામાં છે. વળી નવી જનરેશનની વાત કરીએ તો એન્ડ્રોઈડ અને સ્માર્ટ ટીવીએ તો લોકોના ટીવી જોવાનો અંદાજ જ બદલી નાખ્યો છે. ત્યારે આજના દિવસે આપણે દિવસ ટેલિવિઝનને સમર્પિત કરીએ છીએ, જે વિશ્વભરમાં “વર્લ્ડ ટેલિવિઝન ડે” તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર, 1996 માં દર વર્ષે 27 નવેમ્બરને “વર્લ્ડ ટેલિવિઝન ડે” તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો પરંતુ, હું તમને ખ્યાલ છે કે, આખરે ટીવી બનાવવાનો આ વિચાર આવ્યો ક્યાંથી ? કોણે તેની શોધ કરી અને આખરે તે ભારત ક્યારે અને કેવી રીતે આવીપહોંચ્યું?

જ્યારે ટેલિવિઝનની સંશોધનની વાત આવે ત્યારે તમારે સૌથી પહેલા એ જાણવાની જરૂર છે કે, ટીવીની શોધ એક વર્ષમાં થઈ નથી પરંતુ, તે દર વર્ષે વધી રહી છે. દર વખતે એક નવી તકનીક ઉમેરીને તેને વધુ ને વધુ સારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આજે પણ ચાલુ છે. આજે જ્યારે પણ આપણે બજારમાં જઈએ છીએ ત્યારે આપણને ટીવીના નવા-નવા અપગ્રેડ વર્ઝન જોવા મળે છે. ઘણાં તકનીકી નિષ્ણાતોએ વિશ્વમાં ટીવીના સંશોધનમાં ફાળો આપ્યો છે પરંતુ, જ્હોન લોગી બેરાર્ડ તેના સંશોધક તરીકે ઓળખાય છે. તેમને ફાધર ઓફ ટેલિવિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટીવીનું સંશોધન ઓક્ટોબર, ૧૯૨૫ માં થયેલું હોવાનું માનવામાં આવે છે એટલે કે આજે તે ૯૬ વર્ષનું થઈ ગયું છે. અને સદી પૂરી કરવામાં માત્ર ચાર વર્ષ દૂર છે. સપ્ટેમ્બર, ૧૯૫૯માં ભારતમાં ટેલિવિઝન એક પ્રયોગ તરીકે રજુ થયું હતુ ત્યારબાદ અઠવાડિયામાં માત્ર બે વાર, એક કલાકનો કાર્યક્રમ ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો. વર્તમાન યુગમાં ટીવી 24*7 ચાલુ હોય છે ત્યારે એવામા આ સમયની કલ્પના પણ કરવી ખુબ જ મુશ્કેલ છે. પહેલાના સમયમા ટીવી અઠવાડિયામાં બે દિવસ માત્ર એક કલાક ચાલુ રહેતું હતું. ભારતમાં તેનું પ્રસારણ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ હેઠળ કરવામાં આવ્યું હતું પરંતુ, વર્ષ 1976માં તે સ્વતંત્ર વિભાગ બન્યો અને દેશના ઘણા ભાગોમાં ટેલિવિઝન કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા.
ત્યારબાદ ટીવીના વિકાસનો સિલસિલો નિરંતર ચાલુ રહ્યો અને વર્ષ 1997માં આ દિશામાં એક મોટું પગલું ત્યારે આવ્યું જ્યારે પ્રસાર ભારતીની રચના થઈ. ટીવી આજે આપણા જીવનનો એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અને તે આપણા જીવનને ઘણી બધી રીતે અસર કરે છે. તે આપણી જીવનશૈલી અને વિચારસરણીને પણ ખુબ જ અસર કરે છે. આજે જ્યારે ટીવીનું 24*7 સંચાલન કરવામાં આવી રહ્યું છે અને લોકો તેને જોવામાં ઘણો સમય વિતાવી રહ્યા છે ત્યારે એક મહત્વપૂર્ણ અને રસપ્રદ હકીકત પણ છે કે સરેરાશ, વ્યક્તિ તેના જીવનના લગભગ 10 વર્ષ ટીવી જોવામાં વિતાવે છે.