બનાસકાંઠા માં આત્મનિર્ભર ગ્રામ યાત્રા નો શુભારંભ

આઝાદીના “અમૃત મહોત્સવ” અંતર્ગત આજથી શરૂ થયેલ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો સરકાર નો સંકલ્પ છે. ડીસા તાલુકા ના કુચાવાડા ખાતે ડીસા ના વિકાસ પુરુષ, જુઝારુ, હિન્દુ રહ્દય સમ્રાટ, સર્વપ્રિય ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા જી ના વરદ હસ્તે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો શુભારંભ કરવામા આવ્યો…

આ અવસરે ધારાસભ્ય શ્રીએ વિવિધ વિભાગો મા ડીસા તાલુકા મા થયેલ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિશે માહિતી આપી હતી. તથા અનેક લાભાર્થીઓને યોજનાકીય લાભોના ચેક, લોન સહાયનું વિતરણ કરતાં ધારાસભ્ય શ્રીએ જણાવ્યું કે ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવા માટે સરકાર કટિબદ્ધ છે. સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેના માધ્યમથી ગુજરાત ગાંધીજીની ગ્રામ સ્વરાજ્ય અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને સાકાર કરશે… આ પ્રસંગે ડીસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રામુજી ઠાકોર, ટી.ડી.ઓ સાહેબ, મામલતદાર સાહેબ, લિંબાચીયા સાહેબ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગલાબજી ઠાકોર, મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ દેસાઈ,ઉપ પ્રમુખ શ્રી ચેલાજી ઠાકોર પુર્વ કારોબારી ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ, પુર્વ તાલુકા મહામંત્રી શ્રી રમેશભાઈ દેસાઈ ગામના સરપંચ શ્રી સહિત આગેવાનો, કાર્યકરો અને પ્રજા જનો ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા હતા…

ડીસા : મહાવીર શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *