ભારત- પાક. બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ: નડાબેટ સીમા સરહદે ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ ની ગૌરવભેર ઉજવણી કરતા સુરક્ષા જવાનો

ભારત- પાક. બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ: નડાબેટ સીમા સરહદે ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ ની ગૌરવભેર ઉજવણી કરતા સુરક્ષા જવાનો હાથમાં તિરંગો ધ્વજ લઈ કૂચ કરતા BSF ના જવાનોએ ‘‘હર ઘર તિરંગા અભિયાન’’માં જોડાવા નાગરિકોને કરી અપીલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી ‘‘હરઘર તિરંગા અભિયાન’’ શરૂ કરાયું છે જેને સમગ્ર ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ અંતર્ગત લોકોમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી જોવા મળી રહી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની ઝળહળી રહ્યા છે ત્યારે દેશની આન બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજ ભારતીય સૈન્યના હાથમાં લહેરાઈ રહ્યો છે. હાલ સમગ્ર બોર્ડર વિસ્તારમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દેશની સીમા સરહદ નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા જવાનો હાથમાં તિરંગો લઈ કુચ કરતા નજરે પડી રહ્યા છે. સૈન્યના જવાનોમાં આ ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *