ગત ક્રિકેટ મેચ તો પાકિસ્તાન ભારત સામે જીતી ગયો હતો પરંતુ ભારતના ક્રિકેટરો તે હાર નો બદલો લેવા માટે વધુ સક્ષમ અને એક્ટિવ બન્યા હતા જેથી તારીખ 28 8 2022 ના રોજ ક્રિકેટના મેદાન પર મેચ નહીં બલકે એક યુદ્ધ થયું હોય તેવું લાગી રહ્યું હતું જ્યાં ઇન્ડિયના પ્લેયરોએ પાકિસ્તાનને તે ઓનો ઓકાત ને યાદ અપાયું હોય તેવું લાગી રહ્યું હતું જ્યાં એક પછી એક વિકેટ ચટકાવી હતી અને આટલું જ નહીં પણ પાકિસ્તાનના બોલરોને પણ ગાંઠીયા ન હતા અને વિજેતા બની જીત પ્રાપ્ત કરી હતી અને હિન્દુસ્તાનીઓનો ઉત્સવ વધાર્યું હતું.સમગ્ર વિશ્વની જેના ઉપર નજર રહેતી હોય તે છે INDIA or PAKISTAN ની ક્રિકેટ મેચ જ્યાં સંગ્રામ નહિ પરંતુ મહા સંગ્રામ દેખાતું હોય છે જ્યાં રવિવારની એશિયા કપની રમાયેલી બેજી અને ભારત પાકિસ્તાની પ્રથમ મેચ કે જેમાં ભારતે પાકિસ્તાનને 5 પાંચ વિકેટે માત આપી હતી અને પાકિસ્તાનને તેની ઓકાત યાદ કરાવી ધૂળ ચટાવી દીધી હતી…જયારે પણ ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ થાય ત્યારે ત્યારે સુરત શહેરના ભાગળ ચાર રસ્તા પાસે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને ભારતની જીતને હર્ષોલ્લાસ સાથે અને ઢોલ નગર સાથે ફટાકડા ફોડી મીઠી ખવડાવી ઉજવણી કરતા હોય છે. ત્યારે રવિવારની એશિયા કપની મેચમાં ભારતે પાકિસ્તાનને 5 પાંચ વિકેટે હરાવતા સુરત શહેરના ભાગળ ચાર રસ્તા પાસે લોકો ભેગા થઇ ને દિવાળી ની જેમ ઉજવણી કરી ભારતની જીતને વધાવી લીધી હતી. જ્યાં સુરત ની મહિધરપુરા પોલીસ પણ કોઈ અનીચ્નીયા ઘટના ના ઘટે તે માટે ખડા પગે તેનાત હતી…