ડીસા ના શેરપુરા અને માલગઢ ગામમાં હજુ પણ લોકોના ઘરોમાં પાણી ભરાતા,લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા

ડીસા પંથકમાં વરસાદ આકાશી આફત બનીને વરસ્યો છે જેમાં ડીસા તાલુકાના 30 થી વધુ ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શેરપુરા અને માલગઢ ગામમાં હજુ પણ ઘરોમાં પાણી યથાવત સ્થિતિમાં છે છેલ્લા ત્રણ ત્રણ દિવસથી લોકોના ઘરમાં ત્રણ થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાયેલુ છે જેથી લોકોની હાલત કફોડી બની ગઈ છે. ઘરમાં પાણી ભરાતા તમામ ઘરવખરી નો સામાન પાણીમાં ગરકાવ થયો છે લોકો પોતાના ઘર છોડી ઊંચાણવાળી જગ્યા પર રહેવા મજબૂર બન્યા છે.ભારે વરસાદ થી ડીસા તાલુકામાં લોકોની ઘરવખરી ને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો બીજી તરફ ખેતરો માં પણ પાણી ભરાયેલા છે અને ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી દિવસ રાત કાઢી મજૂરી કરી વાવેતર કર્યું હતું તે પાક પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે શેરપુરા અને માલગઢ ગામમાં અત્યારે સરપંચ દ્વારા અસરગ્રસ્ત લોકોને રહેવા માટે અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે તેમજ ડીસા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને સરકાર સહાય આપે તેવી ગામના સરપંચ અને અસરગ્રસ્ત લોકોની માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *