સુઇગામ તાલુકાના ગોલપ ગામના વિક્રમભાઈ દુદાભાઈ રાજપૂત પોતાના ખેતરમાં ભેંસો ચારતા હતા,દરમ્યાન તેમના કૌટુંબિક વિહાભાઈ શંકરભાઇ રાજપૂત, કાનજીભાઈ શંકરભાઇ રાજપૂત તેમજ ઈશ્વરભાઈ પીરાભાઈ રાજપૂત અને તેજાભાઈ પથુભાઈ રાજપૂતનાઓ ટ્રેક્ટર તથા પીકઅપ ડાલું લઈ ખેતરે આવેલ અને કહેલ કે અમારા ખેતરનો રસ્તો કેમ બંધ કરેલ છે,ત્યારે વિક્રમભાઈએ કહેલ કે તમારો અહીં રસ્તો છે જ નહીં તો બંધ કર્યાનો પ્રશ્ન ક્યાં છે, તેમ કહેતા ઉસ્કેરાઈ ગયેલા ચારેય ઈસમોએ અપમાન જનક શબ્દો બોલી લાકડી તેમજ ટોમી લઈ મારવા આવતાં બાજુમાંથી હોહા સાંભળી દોડી આવેલા લોકોએ વચ્ચે પડી માર માંથી બચાવી ચારેય ને સમજાવેલ,દરમ્યાન તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપતાં વિક્રમભાઈ રાજપુતે 4 ઈસમો વિરુદ્ધ સુઇગામ પો.સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ યપાસ હાથ ધરી છે,