અમદાવાદમાં કુખ્યાત 10 જેટલા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા કરવામાં આવી

રથયાત્રાની રંગેચંગે ઉજવવામાં આવશે ત્યારે તેની પહેલા શાંતિ ડહોળવાનો પ્રયત્ન ના થાય તેને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.સરખેજમાં કાળુ ગર્દનના બે માળના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 10 જેટલા ગુનેગારો વિરુદ્ધ પાસા કરવામાં આવી છે. એક પછી કાર્યવાહી ગુનેગારો કરવામાં આવી રહી છે. સરખેજમાં 9 અન્ય પ્રકારના ગુનાઓમાં સપડાયેલા ગુનેગારો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.રથયાત્રાની અંદર તહેવારમાં અસામાજિક તત્વો શાંતિ ના ડહોળે તેને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં આવી છે. અને પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે અને વિવિધ ગુનામાં સપડાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે આ ઉપરાંત આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામા અંતર્ગત ગુજરાતમાં હિંસક હથિયારો પણ કબજે લેવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત વિવિધ કુખ્યાત ગુનામાં સપડાયેલા આરોપીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, સરકારે આ વખતે ગુનેગારો પર સકંજો કસવા માટે તેમના ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *