અમદાવાદમાં રખડતા ઢોરની કામગીરીમાં બબાલ થઈ હતી. ગોપાલકો અને ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ વચ્ચે મામલો ગરમાયો હતો.ઢોર પકડનાર ટીમને માલધારીઓ દ્વારા રોકવામાં આવી હતી. ત્યારે ઉગ્ર બોલા ચાલી સામે સામે થઈ હતી. અમદાવાદની અંદર ઢોર પકડવા માટે ટીમ ગઈ હતી ત્યારે બંને વચ્ચે ચકમક થઈ હતી.અમદાવાદની કોર્પોરેશનની ટીમ દ્વારા અવારનવાર આ પ્રકારે રખડતા ઢોર ને નિયંત્રણમાં લેવા માટે આ પ્રકારે ઢોર પકડવામાં આવતા હોય છે. ત્યારે માલધારીઓ વચ્ચે પડ્યા હતા અને કોર્પોરેશનની ટીમ વચ્ચે મામલો બિચકયો હતો અને સામસામે બબાલ ની ઘટના બની હતી.અગાઉ પણ આ મામલે માલધારી અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ચકમક થતી રહી છે ત્યારે આજે પણ ઇસનપુરમાં આ પ્રકારની ઘટના બનતા ફરી બબાલ નો મામલો સામે આવ્યો હતો. જો કે બીજી બાજુ અત્યારે માલધારીઓ દ્વારા સરકાર દ્વારા લાવવામાં આવેલા ઢોર નિયંત્રણ કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.માલધારીઓનું કહેવું છે કે આ કાયદો એક દિવસનું સત્ર બોલાવીને રદ કરવામાં આવે ત્યારે બીજી બાજુ સરકારે આ ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં બિલ પસાર કર્યું હતું. તેના પર નિયંત્રણ લાવવામાં આવ્યું હોવાનું કહ્યું છે.