અમદાવાદ માં 40 પાકિસ્તાની નાગરિકો ને હર્ષ સંઘવી ની ઉપસ્થિતિ અપાઈ ભારતીય નાગરિકતા..

મૂળ પાકિસ્તાન ના રેહવાસી અને છેલ્લા 7 થી 12 વર્ષ થી અમદાવાદ માં રેહતા એવા 40 લોકો ને ભારતીય નાગરિક નું સર્ટિફિકેટ ગૃહ રાજ્ય અને મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે આપવામાં આવ્યું..મહત્વ નું છે કે સરકારના 2016 અને 2018 ના પરિપત્ર થી કલેકટરને નાગરિકતા આપવા માટે સત્તા આપી છે અને જે બાબતે અમદાવાદ માં 1032 લોકોને અત્યાર સુધી નાગરિકતા અપાઇ છે.અમદાવાદ દેશમાં નંબર વન જિલ્લો બન્યો છે..લોકો યે પાકિસ્તાન માં થતી તકલીફો વિશે પણ ચર્ચા કરી હતી..લોકોએ કહ્યું કે કઈ રીતે પકિસ્તાન માં તેમના સાથે અત્યાચાર થાય છે અને તેમની બદલીઓ ને ઉપાડી ને લઈ જવા માં આવે છે..નાગરિકતા મળતા જ તમામ ની આંખોમાં નમી અને ખુશી જોવા મળી હતી..લોકોએ પોતાની ખુશી પણ વ્યક્ત નથી કરી શકતા હતા તેમને આજે ભારતીય હોવાનુ ગર્વ મેહસૂસ કર્યું અને આભાર વ્યક્ત કર્યું હતું..હર્ષ સંઘવી એ પાકિસ્તાની શરણથીઓ ને આપી નાગરિકતા આપી.મહત્વ નું છે કે ભારતીય નાગરિકતા આપતા સર્જાયા ભાવુક દ્રશ્યો.હર્ષ સંઘવી દિવ્યાંગ દીકરી ભેટી પડી..ભારતીય નાગરિકતા મળતા ગળે વળગી ને ભેટી પડી હતી અને હર્ષ સંઘવી એ દીકરી ને હર્ષભેર વાલ કર્યું.. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન કે અન્ય પડોસી દેશ માં રેહતા ભારતીય ને સૌથી પેહલા 7 વર્ષ સુધી વિઝા મેળવી ને રેહવું પડે છે અને ત્યાર બાદ તે લોકો અરજી કરી શકે છે..અરજી મળ્યા બાદ સરકાર અને તંત્ર દ્વારા તમામ રીતે તપાસ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમને નાગરિકતા મળતી હોય છે..મહત્વ નું છે કે આ મોટી કાર્યવાહી હોય છે..હાલ તો 40 લોકો ને નાગરિકતા મળતા તેમના માટે આજે નવો દિવસ હોય તેવું લાગી રહ્યું છે.. 2017થી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1032 પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2017માં 187, વર્ષ 2018માં 256, વર્ષ 2019માં 205, વર્ષ 2020માં 65, વર્ષ 2021માં 212 અને વર્ષ 2022માં અત્યાર સુધીમાં 107 એમ કુલ 1032 હિંદુઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *