મહારાષ્ટ્રની રાજનીતિનો અડ્ડો બન્યું ગુજરાત,ભાજપ પોતાના ધારાસભ્યોને સાચવી અમદાવાદ લાવી શકે છે

હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે હાલ શીવસેનના ધારાસભ્યોને સીઆર પાટિલના ગઢ સુરતમાં લાવવાયા આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે તેવામાં ગુજરાતના કેટલાક આગેવાનોને પણ આ અંગેની જવાબદારી પ્રશાસન દ્વારા સોંપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.હાલ ભારે ઉથલપાથલ વચ્ચે ઉદ્ધવ સરકાર સંકટમાં મુકાઈ છે અને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત થઇ ચુકી છે.તેવામાં શીવસેનનના તોડવા ઉપરાંત મહારાસસ્ત્રમાં ભાજપ પોતાના 105માંથી કોઈ ધારાસભ્ય તૂટે નહિ તે માટે પણ પ્રયાસ કરી રહ્યું છે અને તેમને એકત્રિત કરી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઉપરાંત તેમને સિદ્ધ રિસોર્ટ ખાતે લાવવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.તમામ 105 ધારાસભ્ય એરપોર્ટ પરથી સર્વોચ્ચ સુરક્ષા સાથે એક રિસોર્ટ ખાતે લાવવામાં આવી રહ્યા છે.પૂર્વનિર્ધારિત રીતે આ કાવતરું ભાજપ દ્વારા ઘડવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ જાણકારી પ્રાથમિક રૂપે મળી રહી છે જોકે આ ઉથલ પાથલ વચ્ચે ભાજપ પોતાના ધારાસભ્યોને સાચવીને અન્ય જગ્યાઓ પર પણ રાખી શકે છે તેવામાં ભારે ગરમાવો રાજકારણમાં જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *