જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકા જોરડીયાલી ગ્રામ પંચાયત ના ચૌહાણ હરજીભાઈ મેહાભાઈના પુત્ર ચેતનભાઈ ભાભર ખાતે અભ્યાસ કરે છે. ચેતનભાઈ ઓચિંતા બીમાર પડતાં તેમને થરાદ ની એક ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા . જયા ડૉકટર એ જણાવેલ કે ચેતનભાઈ ને ઓપરેશન કરવું પડશે. પરંતુ ચેતનભાઈની આર્થિક પરિસ્થિતિ મીડીયમ હોવાથી ડૉકટર સાહેબ એ જણાવેલ કે આયુષ્યમાન કાર્ડ કઢાવી લો. પરંતુ કાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો ફરજિયાત જોઈએ. ત્યારે ચેતનભાઈ ના પિતાએ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કર્યા . પરંતુ ત્યારે રાત્રિના સાડા અગિયાર વાગ્યા હતા. ત્યારે તલાટી શ્રી ચંદનસિહ રાજપુત સાહેબ ને કોલ કર્યા કહ્યું કે સાહેબ આવી પરિસ્થિતિ છે ત્યારે તરત સાહેબ કે તમે ગ્રામ પંચાયત કચેરી એ આવો હું VCE અમરભાઈ હુણ ને બોલાવી દઈસ ત્યારે તરત અમરભાઈ અને ચંદનસિહ બંન્ને ગ્રામ પંચાયત ખોલી ને રાત્રે ૧૨ વાગે હરજીભાઇ ને આવકનો દાખલો કાઢી આપ્યો ત્યારે બીજી બાજુ ચેતનભાઈ નો પરિવાર તલાટી તથા VCE બંન્ને નો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો