૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાના પક્ષને મજબૂત કરવા માટે અત્યારથી જ એડી ચોટીનો ચોર લગાવી રહી છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીને લઇ હાલમાં દરેક પક્ષના આગેવાનો બનાસકાંઠા જિલ્લામાં બેઠક શોધી રહ્યા છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષનો વિજય થાય તે માટે પક્ષમાં વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા ના સર્કિટ હાઉસ ખાતે દલિત સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષનો વિજય થાય તે માટે દલિત સમાજના આગેવાનોને વધુમાં વધુ પક્ષમાં જોડવા માટે અપીલ કરાઈ હતી. ખાસ કરીને ડીસા તાલુકામાં દલિત સમાજના સોથી પણ વધુ કાર્યકર્તાઓ એક ગ્રામ્ય વિસ્તારમાંથી જોડાય તે માટે દલિત સમાજના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠા જીલ્લા પ્રમુખ શંકરભાઈ સોલંકી, કો. ઓડીનેટર ઈશ્વરભાઈ પરમાર, સેંધાભાઈ પરમાર, જેન્તીભાઇ પરમાર, ધાનેરા તાલુકા પ્રમુખ કાંતિભાઈ સોલંકી, દાંતીવાડા તાલુકા પ્રમુખ ભરતભાઇ ભિલેચા તેમજ બંને તાલુકાની કમિટી ની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ હતી.જેમા ટૂંક સમયમાં બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ ની મજબુત ટીમ નુ નિર્માણ કરવામાં આવશે