હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી દેવતાઓમાં અનેરી આસ્થા રાખતા હોય છે જેના કારણે દર વર્ષે હિન્દુ ધર્મમાં અનેક પગપાળા સંઘનો આયોજન થતું હોય છે અને લોકો પગપાળા સંઘ લઈ દેવી દેવતાઓના શરણે જાય છે. જે અંતર્ગત ડીસામાં વસતા ખત્રી સમાજ દ્વારા પગપાળા હિંગળાજ માતાજીના સંઘનુ પ્રસ્થાન કરાયું છે. આ સંઘમાં 400 જેટલા યાત્રાળુઓ જોડાયા છે. આજે વહેલી સવારે સંઘે ડીસાથી વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. પ્રથમ હાઈવે સ્થિત હિંગળાજ માતાના મન્દિર થી દર્શન કરી આ સંઘ ધનકવાડા જવા રવાના થયો છે. જે વાઘપુરા , નેસડા, ભીલડી થઈ ફોરણા ખાતે રોકાણ કરશે અને આગામી રવિવારે આ સંઘ ધનકવાડા ખાતે પહોંચશે. આ બાબતે બ્રહ્મક્ષત્રિય પગપાળા યાત્રા સંઘના આયોજક ધર્મેન્દ્રભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે આ સંઘ છેલ્લા ૧૫ વર્ષ થી યોજાય છે જે અને કોરોના મહામારીમાં પણ અવરીત પણે સંઘ ચાલુ રહ્યો હતો. આજે ૧૫ વર્ષ પૂર્ણ થયા છે અને પગપાળા સંઘ માં જતા શ્રદ્ધાળુઓ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો . . . .