બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, અકસ્માતમાં અનેકવાર અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે દિલ્હીથી અમદાવાદ જતી વોલ્વો બસને પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામ નજીક અકસ્માત નડ્યો હતો. ચાકલને ઝોકું આવતાં બસ ડિવાઈડર પર ચડી જતા બસમાં સવાર લોકોની ચિસીયારી કરતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા. જોકે આ અકસ્માત ના દ્રશ્યો CCTV માં કેદ થયા હતા.જોકે બસ ચાલક બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના સર્જાયો હતો. બનાવ ના પગલે પોલીસ તેમજ એલ એન્ડ ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું.