ડીસા ટ્રાફિક જામ થતા વાહનચાલકો કલાકો સુધી ફસાયા

ડીસાના આમ તો વર્ષોથી વેપારીમથક માનવામાં આવે છે જેના કારણે ડીસા શહેરમાં બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં ગ્રાહકો અને વેપારીઓ ખરીદી કરવા માટે આવતા હોય છે જેના કારણે ડીસા શહેરમાં પ્રવેશતાની સાથે જ ટ્રાફિકની સમસ્યા રોજરોજ સર્જાતી હતી પરંતુ આ ટ્રાફિક સમસ્યાથી કાયમી નિકાલ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડીસા માં પુલનું નિર્માણ કરવામાં આવ્યો હતો પરંતુ આજે પણ ડીસા શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન જોવા મળી રહી છે આજે ડીસા શહેરના જલારામ મંદિર થી સાઈબાબા મંદિર સુધી બપોરના સમયે ટ્રાફિકના કારણે ચક્કાજામ સર્જાયું હતું ટ્રાફિકના કારણે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીનો વાહનચાલકોને સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ આવી ગરમીમાં પણ વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આજે કલાકો સુધી ફસાયેલા વાહનચાલકોએ જણાવ્યું હતું કે ડીસા શહેરના સાઈબાબા મંદિર પાસે રોજેરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે પોલીસ જવાનો દ્વારા વારંવાર સર્જાતા ટ્રાફીક ના નિવારણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *