સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેના કારણે કોરોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સક્રિય બની રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂવાત થઈ ચૂકી છે. ખાસ કરીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન નું લોકોએ કરેલા ઉલ્લંઘનના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પણ રોજેરોજ નવા કોરોનાવાયરસ ના કેસ સામે આવ્યા છે જેને લઇ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે તેના ભાગ રૂપે વાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં પણ ઓક્સિજન ની સુવિધા, દર્દીઓ માટે બેડની સુવિધા, દવાઓ ની સુવિધા,વગેરે સુવિધા કરી દેવામાં આવી છે

કોરોનાવાયરસ ની ત્રીજી લહેર ની શરૂઆત થતાની સાથે જ ફરી વાવ તાલુકા માં કોરોનાવાયરસ ની બીઝી રહે જે પરિસ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે જેને લઇ આવનારા સમયમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો પરિસ્થિતિને પહોંચી શકાય