અમદાવાદ જિલ્લાના ધોળકા કોર્ટ દ્વારા ચાર હત્યાના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવીવિગત 2018માં પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કરી તેમને હત્યા કરીને લાશને સળગાવી દેવામાં આવી હતી આમાં કુલ સાત લોકોને ધરપકડ કરવામાં આવી હતી એમાંથી ચાર આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી વિગત વાત કરીએ તો ધોળકાસ્ટેશનમાં હત્યા અને અપહરણ અને કાવતરું રચવાહેઠળનો ગુનો નોંધાયો હતો. સમગ્ર હકીકત એ મુજબની છે કે ભરતભાઈ મનુભાઈ મકવાણા નામના એક વ્યક્તિએ પર્સોતોમભાઈ ઉર્ફે પસાભાઈ પરમાર પાસેથી ઉછીના 10 લાખ 30 હજાર લીધા હતા અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતાય ભરતભાઈ મકવાણા કોઈ કારણોસર રૂપિયા આપી શકતા નોહતા જેથી આ કેસના મુખ્ય આરોપીએ આપરસોતમ ભાઈ પરમારે અને અન્ય 06 આરોપીઓ એમ કુલ મળીને સાત આરોપીઓએ ભેગા મળીને ભરતભાઈ મકવાણાનું વટામણ ચોકડી પાસેથી અપહરણ કરી લીધું હતું અને અપહરણ કર્યા બાદ જુવાળ રૂપાવટી ગામમાં એક ઘરમાં લઈને જઈને પૂરી દીધા હતા અને ત્યાં આગળ ભરતભાઈને ધમકાવવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો. બાદમાં પણ પૈસા નહી આપતા ગળે ટુપો દઈને ભરતભાઈ મકવાણાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓએ ભરત મકવાણા ને સળગાવી દેવામાં આવ્યો હતો તે કામના આરોપીઓમાંથી 4 ને આજીવન કેદની સજા ફટકારવા માં આવી હતી