બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકા ની નર્મદા મુખ્ય કેનાલ લુદ્રા પુલ નજીક થી પસાર થતી કેનાલ માં શિક્ષક નું ડૂબી જવાથી મોત નીપજ્યું છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર દિયોદર ખાતે રહેતા ગોલવી નવા પ્રાથમિક શાળા માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગરભાઈ નરેશકુમાર વૈષ્ણવ વહેલી સવારે પોતાની દીકરી ને વ્રત ને લઈને જવેરા પધરાવવા જતા પગ લપસતા કેનાલ માં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેની જાણ દિયોદર તાલુકા પોલીસ કરાતા પોલીસે થરાદ નગરપાલિકા માં ફરજ બજાવતા સુલતાન મીર કરતા ધટના સ્થળે પહોચી ૨ કલાક ની ભારે જહેમત બાદ શિક્ષક ના મૃતદેહ ને બહાર નીકળવામાં આવતા દિયોદર પોલીસ દ્વારા પિએમ અર્થે ખસેડવામાં આવી હતી .આ સમગ્ર મામલે દીકરી ના સામે પોતાના પિતા ના મ્રત્યુ ને લઈને દીકરી માનસિક ગંભીર અસર થઇ હતી…