રાજારામ ગૌશાળા ટેટોડા ના  કંમ્પાઉન્ડ માં સાલેચા જૈન આરધના ભવન નું ખાધ મુર્હુત

આજરોજ તા -૦૬/૦૭/૨૦૨૨ ના ડીસા તાલુકા ના ટેટોડા ખાતે આવેલી રાજારામ ગૌશાળા ના કમ્પાઉન્ડ માં સાલેચા જૈન આરધના ભવન નું ખાધ મુર્હુત ગુરૂદેવ શ્રી દિનેશચંન્દ્રજી મહારાજ સાહેબ  તથા રામરતનજી મહારાજ ની પાવન નિશ્રા માં થયેલ હતું . આ પ્રસંગે ગામના આગેવાન એવા ચેરમેન તથા સરપંચ શ્રી,  મંત્રી તેમજ જૈન સમાજ તેમજ જૈનૈતર સમાજના અગ્રણી બહોળી સંખ્યામાં ઉમટી અને દાનવીન પરિવાર એવા સંઘવી પવનબેન મોતીલાલ કેસરીમલજી સાલેચા દ્વારા આ ભવન  બનાવી આપવાની ઉદારતા ને સૌ ગામ લોકો એ તેમજ ગૌશાળા પરિવાર દ્વારા વધાવી લેવામાં આવી તેમજ લાભાર્થી પરિવાર દ્વારા આવેલ દરેક ભાવિકો માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું ગુરૂદેવ દ્વારા પરિવાર ને તેમજ સૌભકતો ને શુભ મંગલ આશિર્વાદ આપ્યાં હતાં કાર્યક્રમ ને જિનવાણી જૈન યુવા વિહાર ગ્રૂપ ઝેરડા દ્વારા સફળ બનાવવા માં આવ્યો હતો અંતે જિનવાણી પરિવાર ના કમિટી અતુલ ભાઈ ધોકા દ્વારા ગૌશાળા પરિવાર તથા ટેટોડા ગ્રામ જનો નો આભાર વ્યક્ત કરી લાભાર્થી પરિવાર ની ખુબ ખુબ અનુમોદના કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *